Horizontal ad

સોમવાર, 20 જાન્યુઆરી, 2025

આધુનિકીકરણ / અનુકરણ



                આધુનિકીકરણ / અનુકરણ 


              એક જમાનામાં આપણે ત્યાં દરજીને કપડાંની સાથે શાકભાજી લેવાની થેલીઓ શીવવાં અપાતી . ૯૦ની સાલમાં પ્લાસિ્ટકની થેલીઓનો દૌર શરુ થયો અને કપડાંની થેલી લઈ જવામાં ખાસ કરીને યુવાનોને શરમ આવવા  લાગી. ડોકટરને ત્યાં જતી વખતે ખાલી  શીશી લઈ જતા અને ડોકટર એમાં સીરપ ભરી આપતાં . ટીશયું પેપર , વાઈપ્સ આ બધાનો તો ખ્યાલ પણ ન હતો. કહેવાનો અથૅ છે કે આપણી એક જીવન શૈલી હતી જે  પશ્રિચમી દેશો કરલાં અનોખી હતી. Sociology  ( સામાજીક શાસ્ઞ) માં Moedenization ( આધુનિકીકરણ ) અને Westernization (  પશ્ચિમીકરણ ) આ બે અલગ વિષયો છે. આપણે  પશ્ચિમીકરણને જ આધુનિકીકરણ સમજી લીધું છે. જે વિદેશી દેશો કરે એ આપણને ગમે પણ આપણું હલકી ગુણવતાવાળું લાગે છે. ભાષાથી લઈ પોશાક , રહેણી સહેણી હવે બધું જ આધુનીક જોઈએ. 


     

જેમ આપણે  પશ્ચિમીકરણ અપનાવ્યું છે એમ  પશ્ચિમી નાગરિકો હવે ભારતીય વસ્તુઓ તરફ  આકર્ષિત થતાં જાય છે. બહુ મોટી સંખ્યામાં એ લોકો હવે  આયુર્વેદિક નુકસાઓ અપનાવવા લાગયા છે. આજે કેટલા બધા વિદેશીઓ ભારત આવીને કે પોતાના જ દેશમાં રહીને યોગાભ્યાસ શીખી ચોગા કલાસીસ ચલાવે છે. હંમણા એક ફિલ્મમાં જોયું હતું કે વિદેશી લોકો યોગ ને યોગા કહેછે  તેથી આપણે પણ એમ કહીએ છીએ. યોગના માધ્યમથી હળદર (tumeric) , આદુ ( ginger) , તુલસી(basil) ,  અને નીમ (neem) જેવી વસ્તુઓના ગુણધૅમ જાણીતા થયા છે. હવે ધ્યાનાભ્યાસ ( meditation) આખા ય  વિશ્વમાં માનસિક તાણ દુર કરવા માટે   બહું જ પ્રચલિત માધ્યમ છે. જેનો ઉપયોગ cognitive therapy  ( જ્ઞાનાત્મક વતૅન ઉપચાર ) તરીકે પણ થાય છે. શરીરની  શુધ્ધી માટે ઉપવાસ કરવાની  પ્રથા પણ તૂટક તૂટક ઉપવાસ  (intermittent fasting) તરીકે 

વખણાઈ છે. 


અમેરિકામાં મોટાં શહેરોમાં હવે સમોસા , ઢોસા અને પંજાબી ભોજનના નામો જાણીતા થઈ ગયાં છે. હોળીના તહેવાર દરમ્યાન ઘણી જગ્યાએ હોલી મેલા કે કલર રન ( color run ) યોજાય છે , જેમાં વિવિધ સંસ્કૃતિના લોકો ભાગ લે છે. ઘણાં આરેગ્યપ્રધાન સામાયિકોમાં તો  ખિચડી અને મગની દાળની માહીતિ પણ છપાય છે. લોકોને ઘી અને નાળિયેર તેલના ફાયદા સમજાવાય છે. મોટાં મોટાં મારકેટીંગ ડેવલપરો એમના માલ સામાનમાં  વિવિધતા લાવ્વા માટે ધણી વાર પારંપારિક ભારતીય કલાનું અનુકરણ કરે છે. 


હવે આખું જગત રીસાયકલિંગ કરો !, રીસાયકલિંગ કરો ! એમ કહે છે . પ્લાસિટકનો વપરાશ ઓછો કરી કપડાનાં અને બીજા પદાથોૅ વડે   બનાવેલા થેલા ( tote ) વપરાશમાં લાવેછે. કોઈ જગ્યાએ કાગળની થેલીઓ આપવામાં આવે છે, આપણે ત્યાં તો પ્લાસિટકના  પેકેજીંગ   પહેલા કાગળમાં જ વસ્તુઓ બાંધ્વામાં આવતી. પતરાઈઓ અને કુલ્ડીનો પણ સમાવેશ કરવો જરુરી છે.  પ્રાચીન સમયમાં તાંબા-  પિતળ અને માટીના વાસણો વપરાતા , સ્ટીલનું આગમન થતાં લોકોએ તાંબુ પિતળ ભંગારમાં કાઢી નાખ્યું અને લોકોના ઘરોમાથી લિપ્ત થયા બાદ હવે પાછો દેશ વિદેશમાં  એમનો મહિમા વધવા લાગયો છે. આપણે ત્યાં  બધાં નાના મોટા સાધનો રીપેર થતા . દૂધની થેલીથી માંડીને મશીનો સુધી બધું જ રીસાયકલ થતું. 


આવા તો ઘણાં દાખલાઓ ગણાવી શકાય પરંતુ કહેવાનું  તાતપર્ય એટલું છે કે આપણે અનુકરણના રસ્તે આપણી જીવનશૈલી બદલવા માંગીએ છીએ જયારે એના ફાયદો લઈ બીજા લોકો એમનું જીવન સુધારવા માંગે છે. વસ્તુઓ વેચી વકરો કરવા માટે આખી દુનિયાનાં વ્યાપારો તત્પર છે. હવે તદન પાછા ફરવું શકય ન હોય પણ બને ત્યાં  સુધી વિદેશોનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ.

બુધવાર, 9 ઑક્ટોબર, 2024

મળવું અને છૂટાં પડવું. - Malvu ane chuta padvu.

                                                       મળવું અને છૂટાં પડવું.


              


  સાગર મારી પાસે આવીને આમ દૂર કેમ જતો રહે છે, શું એને મારો સંગાથ ગમતો નથી ? જે,  જે તે આપે છે તે બધું હું સ્વીકારું છું , એને પ્રેમથી  આવકારું છું. એ આમ મારી પાસે આવીને દુર કેમ જતો રહે છે? અંબર  તરફ  એને વધારે ખેંચાણ છે. અંબરની  મોહકતા મારા કરતા વધારે છે એટલે ? પ્રભાતથી  સંધ્યાકાળ લગી અંબરને  છે સુર્યનો સાથ. રાત્રીમાં અંબરમાં  ઝબુકતા તારલીયાઓ મને  મારી વિવશતા પર હસતા લાગે છે. સાગર શાંત હોય અને ચંદ્રિકા એના પર પથરાય એ મોહક અને રમ્ય શાંતિમાં મને મારો જ વિલાપ સંભળાય છે. અંબરેથી નિરખતો શશી અને ઉગતો અને આથમતો રવિ મને મારામાં જ કાંઈ ખોટ છે એમ વર્તાવે છે. સાગર ને પામવા હું શું કરું ? હું ઊંડી ઉતરી જાઉં જેથી સાગર મારામાં સમાઈ જાય ? ના, પણ હું એમ નહીં કરી શકું , એથી સાગર નિમૅળ નહીં રહે. કાદવ કહેવાશે. સાચે, જેના  પતિ પ્રેમ હોય એનું બુંરું પણ ઈચ્છી શકાતું નથી . નહિતર મારે અંબરની જેમ મોહક થવું જોઈએ , પણ હું મોહક થઈશ શી રીતે? મારો રંગ પણ કેવો , લોકો મને ખૂંદીને જાય . સાગર નો બધો કચરો મારી ઉપર ઘસડાય છે , હું કેવી રીતે સુંદર થઈશ? શું હું સાગરને નહીં પામી શકું? 


સાગર જવાબ આપે છે…..

            

               “ અરે, તું જ મારું ઉદગમ અને સીમા છે !!! તારા વગર મારી ગતિ દિશાહીન થઈ જાત. તું જ તો મારી ગંદકી સ્વીકારીને મને શુધ્ધ બનાવે છે. જ્યારે  હું આવેગમાં આવીને બેકાબુ થઇ જાઉં છું ત્યારે તું જ ડૂબનારને જીવનદાન આપે છે. જો તું ન હોત તો હું એકલો અટૂલો આગળ ધસ્ત અને આ પૃથ્વીનો અધ:પાત થઈ ગયો હોત. અંબર કાંઈ મને મળતું નથી એનો માત્ર ભાસ છે , આવા સાત અંબર મળે તો પણ હું અંબરને અડી શકું નહીં. હું અંબરથી એટલો જ દૂર છું જેટલો તારાથી નજીક. હું કેટલા હર્ષથી તારી પાસે આવું છું પણ મારે પાછા જવું જ પડે છે,  એ જ કુદરતનો નિયમ છે. મળીને છૂટા પડવું અને છુટા પડીને મળવું આથી જ પ્રિય વ્યક્તિની સ્મૃતિઓ અને આકર્ષણ જળવાઈ રહે છે.”